AMCએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા: પાંજરાપોળથી નિરાંત ચાર રસ્તા સુધીના રોડને ખુલ્લો કરાયો, વાહનચાલકોને નહિં કરવો પડે મુશ્કેલીનો સામનો
- 15 May, 2024
હાલ અમદાવાદ શહેરમાં રસ્તા પર દબાણ ખૂબ વધી ગયું છે. જેના કારણસર વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે રોડની બંને બાજુ ગેરકાયદેસર લારી ગલાઓ પોતાનો ખીલો ખોડી બેઠા છે. જેથી રાહદારી લોકોને રોડ પર ચાલવા માટે મજબૂર બનવું પડે છે. જેના લીધે અકસ્માત થવાનો ભય વધે છે.
કોર્પોરેશને આજે પોલીસને સાથે રાખીને પાજળાપોળ થી IIMA બ્રિજથી વસ્ત્રાપુર નિરાંત ક્રોસ રોડ સુધી ગેરકાયદેસર લારી ગલાઓ દબાણ દૂર કરવાની કામગીરી કરી હતી. ખાણીપીણીના લારી ગલ્લાઓ પર આવતા ગ્રાહકો પોતાનું વાહન જેમતેમ પાર્ક કરી ચા કે નાસ્તો કરવા માટે ઉભા રહી જાય છે. જેના લીધે ટ્રાફિક થાય છે અને વાહન ચાલકોને મુશ્કેલી પડે છે. આ ખાણીપીણીના ધંધાઓને યોગ્ય જગ્યા ફાળવામાં આવે તો આ વિસ્તારમાંથી દબાણની સમસ્યા કાયમ માટે દૂર થઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ